નવી દિલ્હી: દેશમાં કેટલાક રાજ્યોને બાદ કરતા કોરોના (Corona Virus) ની સ્થિતિમાં સુધારો જોવા મળી રહ્યો છે. કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે આજે સવારે બહાર પાડેલા લેટેસ્ટ આંકડા (Corona Latest Update) મુજબ છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસના નવા 36,011 દર્દીઓ નોંધાયા છે. આ સાથે જ કોરોના કુલ કેસનો આંકડો 96,44,222 પર પહોંચ્યો છે. જેમાંથી 4,03,248 દર્દીઓ હજુ પણ સારવાર હેઠળ છે. જ્યારે 91,00,792 દર્દીઓ સાજા થઈ ગયા છે. એક જ દિવસમાં કોરોનાથી 482 લોકોના મૃત્યુ થયા છે. દેશમાં કોરોનાથી કુલ મૃત્યુઆંક 1,40,182 થયો છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Corona Vaccine: કોરોના રસી પર ખુશખબર, Pfizer એ ભારતમાં ઈમરજન્સી ઉપયોગ માટે માંગી મંજૂરી


દેશમાં અત્યાર સુધીમાં 14,69,86,575 કોરોના ટેસ્ટ
ઈન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચના જણાવ્યાં મુજબ અત્યાર સુધી દેશમાં કોરોના વાયરસના કુલ 14,69,86,575 નમૂનાનું પરીક્ષણ કરાયું છે. જેમાંથી 11,01,063 ટેસ્ટિંગ ગઈ કાલે કરાયા હતા. 


વૈજ્ઞાનિકોનો દાવો- આ દવાથી માત્ર 24 કલાકની અંદર Covid-19ના દર્દીઓ સાજા થઈ જશે


Corona: આ દેશમાં તો શરૂ થઈ ગયું Vaccination, સૌથી પહેલા કોને અપાશે રસી તે ખાસ જાણો


રાજ્યમાં જુદા જુદા જિલ્લાઓમાં આજની તારીખે કુલ 5,41,064 વ્યક્તિઓને ક્વોરન્ટાઇન કરવામાં આવ્યા છે. જે પૈકી 5,40,916 વ્યક્તિઓને હોમ ક્વોરન્ટાઇન કરવામાં આવ્યા છે. જ્યારે 148 વ્યક્તિઓને ફેસીલીટી ક્વોરન્ટાઇન રાખવામાં આવ્યા હોવાની માહિતી પ્રાપ્ત થઇ રહી છે. જો એક્ટિવ દર્દીઓની વાત કરીએ તો રાજ્યમાં હાલ 14,742 એક્ટિવ કેસ છે. વેન્ટિલેટર પર 90 છે. જ્યારે 14,652 લોકો સ્ટેબલ છે. 1,98,527 લોકોને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. અત્યાર સુધીમાં કુલ 4064 લોકોનાં મોત નિપજ્યા છે. આજે 15 લોકોનાં મોત નિપજ્યાં છે. જે પૈકી અમદાવાદ કોર્પોરેશનના 09, સુરત કોર્પોરેશન 2, રાજકોટ -2 અરવલ્લી અને રાજકોટ કોર્પોરેશનમાં 1-1 વ્યક્તિ સહિત કુલ 15 દર્દીઓનાં કોરોનાને કારણે મોત નિપજ્યાં છે.


કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube